Sun. Sep 8th, 2024

મોરબીઃ હળવદના નવા ધનાળા ગામના પાટીયા નજીક અકસ્માત

મોરબીમાં હળવદ તાલુકાના નવા ધનાળા પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમા કાર રસ્તા પરથી નીચે ઉતરી ગઈ જેના કારણે આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 3 લોકોના કરૂણ મોત થયા છે. ઘટનાને કારણે રોડ પર મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. જોકે સ્થાનિકો દ્વારા તુરંત બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

તેમા કુલ 5 લોકો સવાર હતા. જોકે તેમાથી 3 લોકોના ઘટના સ્થળેજ મોત થયા છે. જ્યારે અન્ય 2 લોકો આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેથી તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં બે મહિલા અને એક પુરુષમનું કરૂણ મોત નિપજ્યું છે.

મૃતકો કચ્છના રાપર તાલુકાના દેસલપર ગામના હોવાનું સામે આવ્યું છે. તેમના મોતને કારણે પરિવાર પર જાણે કે આભ તૂટી પડ્યું છે. જે લોકો આ અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. તેમને સારવાર અર્થે હળવદની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે નવા ધનાળા ગામના પાટીયા નજીક આ અકસ્માત સર્જાયો હતો.

જેમા કાર રોડ પરથી નીચે ઉતરી ગઈ જેના કારણે આ ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ગમખ્વાર હતો કે પાંચમાંથી 3 લોકોના મોત થયા છે. જ્યારે અન્ય બે લોકો ગંભીર રીતે ઘાયલ થતા તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

 

Related Post

Verified by MonsterInsights