Sat. Oct 26th, 2024

સુરેન્દ્રનગર : રાજ્યપાલ પાસે ઈચ્છામૃત્યુની માગ કરી, ગાંધી હોસ્પિટલમાંથી છુટા કરાયેલા 7 સફાઈ કર્મચારીઓએ મુખ્યપ્રધાન

સુરેન્દ્રનગર : ગાંધી હોસ્પિટલમાંથી છુટા કરાયેલા 7 સફાઈ કર્મચારીઓએ મુખ્યપ્રધાન, રાજ્યપાલ પાસે ઈચ્છામૃત્યુની માગ કરી છે. કોરોનાનું સંક્રમણ અટકતા છેલ્લા 2 વર્ષથી ગાંધી હોસ્પિટલમાં કામ કરતા 7 સફાઈ કર્મચારીઓને છૂટા કરી દેવામાં આવ્યા હતા.જેથી છેલ્લા 22 દિવસથી આ સફાઈ કર્મચારીઓ આંદોલન પર બેઠા છે.

કર્મચારીઓએ અનેક અરજીઓ કરી હતી.પરંતુ કોઈ નિકાલ ન આવતા અંતે મુખ્યપ્રધાન અને રાજ્યપાલ પાસે ઈચ્છામૃત્યુંની માગ કરી છે.22 દિવસથી આંદોલન પર આ સફાઈ કર્મચારીઓ કહ્યું કે તેમણે જિલ્લા તબીબી અધિકારી, ડીડીઓ અને કલેકટરને પણ રજૂઆત કરી હતી, પણ કોઈએ તેમની વાત પર ધ્યાન આપ્યું નથી, કે છાવણીની મુલાકાત પણ લીધી નથી.

Related Post

Verified by MonsterInsights