Fri. Oct 18th, 2024

ગુજરાતમાં 77 IAS અધિકારીઓની બદલી કરાઈ

ગાંધીનગર : કોરો રોગચાળાની બીજી લહેરનો ખતરો ઘટતાં રાજ્યમાં બદલીઓનો શ્રેણી શરૂ થઈ ગઈ છે. રાજ્યમાં આઈએએસ (IAS) અધિકારીઓની મોટા પ્રમાણમાં બદલીઓ કરવામાં આવી છે. કુલ 77 આઈએએસ (IAS) અધિકારીઓની બદલીના આદેશ આપવામાં આવ્યા છે. જેમાં કેટલાક અધિકારીઓને પ્રમોશન પણ કરવામાં આવ્યા છે. અમદાવાદના ડીડીઓની પણ બદલી કરવામાં આવી છે.

અગ્ર સચિવ અંજુ શર્માને ઉચ્ચ અને તકનીકી શિક્ષણ વિભાગમાંથી શ્રમ અને રોજગાર વિભાગમાં બદલી કરવામાં આવી છે. એચ.જે. હૈદરે જી.એસ.આર.ટી.સી. (GSRTC ) ના વાઇસ ચેરમેન પદેથી ઉચ્ચ અને તકનીકી શિક્ષણ વિભાગમાં બદલી કરાઈ છે. હર્ષદ પટેલને શ્રમ અને રોજગાર વિભાગમાંથી જી.એસ.આર.ટી.સી (GSRTC ) માં વાઇસ ચેરમેન પદે બદલવામાં આવ્યા છે.

Related Post

Verified by MonsterInsights