Sun. Sep 8th, 2024

DAHOD- ફતેપુરા તાલુકાના ઝેર ગામે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે જાહેર સભા યોજાઈ

૯ ઓગસ્ટ ૨૦૨૧ વિશ્વ આદિવાસી દિવસ નિમિતે ફતેપુરા તાલુકા ના ઝેર ગામે આદિવાસી ટાઈગર સેના ફતેપુરા દ્વારા ઝેર ગામ ના ગ્રામજનો ને વિશ્વ આદિવાસી દિવસ કેમ માનવામાં આવે છે,પેસા એક્ટ,ગ્રામ સભા,બંધારણ માં આદિવાસીઓ ને આપેલ વિશિષ્ટ હક અધિકારો ૫ મી અનુસૂચિ વિશે જણાવી જન જાગૃતિ ની સભા ને સંબોધન કરી હતી જેમાં આદિવાસી ટાઈગર સેના ફતેપુરા તાલુકાના પ્રમુખ મેહુલ તાવિયાડ,ઝેર ગામ ના પૂર્વ સરપંચ ઉજમ ભાઈ વાલા ભાઈ પાંડોર,ગામ ના સામાજિક કાર્યકર પ્રતાપભાઈ સવાભાઈ પાંડોર,બાબુ ભાઈ ઊજમભાઈ પાંડોર,ગ્રામ પંચાયત ના સભ્યો હાજર રહ્યા હતા

આમ આજ રોજ આદિવાસી ટાઈગર સેના,ફતેપુરા દ્વારા ઝેર ગામ ના ગ્રામ જનો સાથે જન જાગૃતિ ની સભા યોજી હતી.

Related Post

Verified by MonsterInsights