Sun. Sep 8th, 2024

શ્રાવણીયા જુગર રમતા ૨૧ શકુનીઓને પકડવામાં ઇસનપુર પોલીસને મળી મોટી સફળતા

કેયુર ઠક્કર અમદાવાદ:આજ રોજ તારીખ ૨૨ ઓગસ્ટ ના ૨૦૨૧ ના પરોઢીયે ઇસનપુર પોલીસે રાત્રી પેટ્રોલિંગ દરમિયાન ઇસનપુર પોલીસ સ્ટેશન ની હદ મા જાહેરમા શ્રાવણીયો જુગાર એટલે કે ગંજીપાના નો જુગાર રમતા ૨૧ શકુનીઓ ની ધરપકડ કરેલ છે,

ઇસનપુર પોલીસે ૨૧ શકુનીઓ નીધરપકડ સાથે આ કામગીરી દરમિયાન મુદ્દામાલ મા રૂપિયા ૩૫ ૫૧૦ રોકડ રકમ અને ગંજીપાનાં રકમ રૂપિયા ૦.૦૦ ને રિકવર કરી તમામ ૨૧ શકુનીયો વિરુદ્ધ ઇસનપુર પોલીસ સ્ટેશન મા ગુના ની નોંધ કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે,

ઇસનપુર વિસ્તાર મા ઇસનપુર પોલીસ ને ગુનાહિત પ્રવૃતિઓ ડામવામા ફરી એક વખત મળી મોટી સફળતા.

Related Post

Verified by MonsterInsights