અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં મંગલમ સ્કૂલની સામે સેતુ સ્પાયર નામના બિલ્ડિંગનું બાંધકામ ચાલતુ હતું.ગુરુવારે સવારે ૧૦.૩૦ના સુમારે બાંધકામ ચાલતુ હતુ એ સમયે ભેખડ ધસી પડવાની ઘટના બનતા બાજુની સોસાયટીની કોમન દિવાલ બાંધકામ ચાલતુ હતુ એ સ્થળ સાથે જોડાયેલી હોવા છતાં કોન્ટ્રાકટરે બેદરકારી દાખવતા રાકેશ. ગિરધરલાલ પટેલનું ભેખડ નીચે દટાઈ જવાથી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા બાદ મોત થયુ હોવાનું ફાયર વિભાગના સૂત્રોમાંથી જાણવા મળે છે.
જે સમયે ભેખડ ધસી પડવાની ઘટના બની એ સમયે મૃતક પોતાના બાથરુમમાં હતા એમ ફાયર વિભાગના સૂત્રોનુ કહેવુ છે.આ બાંધકામ કીરણ પટેલ કરાવી રહ્યા હતા તેમજ ઈજનેર ભાર્ગવ પટેલ હોવાનું ફાયર વિભાગ તરફથી જાણવા મળ્યુ છે.ઉપરાંત ઘાટલોડિયાના સમર્પણ ટાવરમાં બપોરના સમયે એક કારમાં આગ લાગવાનો બનાવ બનવા પામ્યો હતો.જો કે આ બનાવમાં કોઈ ઈજા કે જાનહાની થવા પામી નહોતી.