સુખસર, દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સુખસર ગામમાં કાલના રોજ ગ્રામ જનોમાં રામ નવમી નિમિતે શોભા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ફતેપુરા તાલુકાના સુખસર ગામમાં તારીખ ૩૦/૦૩/૨૦૨૩ નાં રોજ ગ્રામજનો દ્વારા ભક્તિ ભાવથી રામ નવમીનું કાર્યક્રમ શાંતી પૂર્વક અને ધૂમ ધામથી મનાવવામાં આવી હતી જેમાં પોલીસ બંદોબસ્ત હેઠળ કાર્યક્રમને શાંતી પૂર્વક યોજયો હતો.
દર વર્ષની જેમ સર્વ હિન્દુ ધર્મનાં આ રામ નવમી નિમિતે ભાવ ભક્તિથી શોભા યાત્રામાં જોડાઈ ને રામ નવમી નાં આ કાર્યક્રમને ધૂમ ધામથી અને હર્ષો ઉલ્લાસથી નિહાળી હતી. તેમાં નાચ ગાન સાથે ગ્રામ જનોએ આ શોભા યાત્રાને રમણીય બનાવી હતી.