Sun. Sep 8th, 2024

ભારતીય સંરક્ષણ મંત્રાલયે સશસ્ત્ર દળ તબીબી સેવાઓ માટે 400 નિવૃત્ત તબીબી અધિકારીઓની ભરતી કરવાનો આદેશ આપ્યો

ભારતીય સંરક્ષણ મંત્રાલયે રવિવારે કહ્યું હતું કે તેણે સશસ્ત્ર દળ તબીબી સેવાઓ (એએફએમએસ) સૈન્ય મેડિકલ કોર્પ્સ (એએમસી) અને શોર્ટ સર્વિસ કમિશન (એસએસસી) ના 400 નિવૃત્ત તબીબી અધિકારીઓની ભરતી કરવાનો આદેશ આપ્યો છે. ટૂર ઓફ ડ્યુટી યોજના હેઠળ 400 ભૂતપૂર્વ એએમસી અથવા એસએસસી મેડિકલ અધિકારીઓની મહત્તમ 11 મહિનાની મુદત માટે કરાર આધારીત ભરતી થવાની અપેક્ષા છે. જેમની સેવાઓ 2017 થી 2021 ની વચ્ચે છે.

આ કરારની મુદત દરમિયાન રકમ યથાવત રહેશે અને અન્ય કોઈ ભથ્થા ચૂકવવામાં આવશે નહીં. હાજર થવા માટેના તબીબી અધિકારીઓએ સામાન્ય તબીબી ધોરણે ફિટ હોવું જરૂરી છે. તેમાં જણાવાયું છે કે આ તબીબી અધિકારીઓને નિશ્ચિત માસિક રકમ ચૂકવવામાં આવશે. જેની નિવૃત્તિ સમયે લેવામાં આવતા પગારમાંથી મૂળ પેન્શન બાદ કરીને ગણતરી કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે જો નિષ્ણાતોને કોઈ વધારાની ચુકવણી કરવામાં આવે તો તે આ એકમ રકમની ટોચ પર કરવામાં આવશે.

એએફએમએસએ Corona રોગચાળાના બીજી લહેરને પહોંચી વળવા માટે નિષ્ણાતો, સુપર નિષ્ણાતો અને પેરામેડિકલ કર્મચારીઓ સહિત વધારાના ડોકટરોને વિવિધ હોસ્પિટલોમાં તૈનાત કરી દીધા છે. એએફએમએસ એસએસસી ડોકટરો માટે સેવાનિવૃતિ 31 ડિસેમ્બર સુધી વધારી દીધી છે. જેના પગલે 238 વધુ ડોકટરોનો વધારો થયો છે.

 

Related Post

Verified by MonsterInsights